Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈસરોનાં ચીફ એસ. સોમનાથે ઉજ્જૈનમાં દર્શન બાદ જાણકારી આપી કે, અંતરિક્ષમાં લૉન્ચ કરાશે 'મહાકાલ' સેટેલાઈટ

  • May 25, 2023 

ઈસરોનાં ચીફ એસ. ગતરોજ ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા અને ભગવાન મહાકાલનાં આશીર્વાદ લીધા હતા. મહાકાલેશ્વર મંદિરનાં પૂજારી રમણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી સોમનાથ શ્રીધર ભગવાન મહાકાલનાં આશીર્વાદ લેવાનું આયોજન કરી રહ્યા હતા. તેમને મંદિરની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંડિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઈસરોનાં ચીફે એસ. સોમનાથે તેમને વચન આપ્યું છે કે તેઓ મહાકાલ નામનો સેટેલાઈટ પણ લોન્ચ કરશે. ભગવાન મહાકાલના દેશ-વિદેશમાં કરોડો શિવભક્તો છે.






હવે ભગવાન મહાકાલનાં નામ પર સેટેલાઇટ લોન્ચ કરવાથી તેની ખ્યાતિમાં વધુ વધારો થશે. સામાન્ય રીતે સેટેલાઇટનું નામ ભગવાનના નામ પર રાખવામાં આવતું નથી પરંતુ મહાકાલેશ્વર મંદિર સમિતિનાં  પંડિતો અને પૂજારીઓ ભારતીય અંતરિક્ષ કેન્દ્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે. પંડિત અને પૂજારીઓનો દાવો છે કે, ભગવાન મહાકાલનાં નામે જે પણ સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવશે તે સફળતાપૂર્વક તેનું કાર્ય પૂર્ણ કરશે.






અત્યાર સુધી પેસેન્જર બસો, ટ્રેનો અને સંસ્થાઓનું નામ ભગવાન મહાકાલનાં નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ભગવાન મહાકાલનાં નામ પર સેટેલાઇટ પણ અવકાશમાં છોડવામાં આવશે. ભગવાન મહાકાલને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. ભગવાન મહાકાલની ઘોષણા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ જ કારણ છે કે મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા સ્થળોએ પણ ભગવાન મહાકાલના નામ પર સ્થાપના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application