Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હનીટ્રેપમાં ફસાવીને ધર્માંતરણનો મામલો, ATS એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી

  • July 03, 2023 

આતંકવાદ વિરોધી દળ (ATS) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન ઉર્ફે રાશિદ, મોહમ્મદ સાદ્દિક,અઝહર મલિક તરીકે થઈ છે.ATSને આ અંગે ગત દિવસોમાં સૂચના મળી હતી કે, સહારનપુરના કેટલાક રહેવાસીઓની એક ટોળકી અન્ય ધર્મના લોકોને પોતાની જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરવાનું કામ કરી રહી છે. ત્યારબાદ ATSએ ત્રણેય આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતુ અને આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેમના દ્વારા ઈન્ટરનેટ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી.




રાશિદ લોકોને દવાઓ આપવા અને વિવિધ બીમારીઓની સારવાર કરાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી જતો હતો. આ સંબંધમાં તે સારવારના બહાને સહારનપુરના નવીન નગરમાં રહેતા સોમદત્તના ઘરમાં પણ ઘૂસી ગયો હતો અને પુત્ર ગૌરવને પોતાની જાળમાં ફસાવી દીધો.ગૌરવને મદરેસામાં બોલાવીને તેણે નમાઝ કેવી રીતે વાંચવી તે શીખવ્યું અને ઉપવાસ કેવી રીતે કરવો તે પણ શીખવ્યું. ઈસ્લામ કબુલ્યા બાદ નોકરી અપાવીશ તેવી લાલચ પણ આપી હતી. આ દરમિયાન તેના કહેવા પર કર્ણાટકના બેંગલુરુમાં રહેતી રેશ્માએ ઓનલાઈન કેરમ બોર્ડ દ્વારા ગૌરવ સાથે નિકટતા કેળવી અને તેને લગ્ન માટે ધર્મપરિવર્તન કરાવ્યું.આ કામમાં મો. સાદિક અને અઝહરે પણ ભૂમિકા ભજવી હતી. ત્રણેય આરોપીઓએ એટીએસની પૂછપરછમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. રેશ્માની ધરપકડ નથી કરાઈ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News