Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : તારાપુર ગામના ચામુંડા માતાજીના મંદિરમાંથી ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • September 07, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા તારાપુર ગામમાં ચામુંડા માતાજીના મંદિરના તાળાં તોડીને તસ્કરો તેમાંથી માતાજીનો સોનાનો હાર અને દાન પેટીમાંથી રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચોરી અંગે તારાપુર ગામમાં રહેતા અને ચામુંડા માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી પૂજા કરતા નટવરજી ડાહ્યાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે,  રાત્રે તેઓ સાડા આઠ વાગે મંદિર બંધ કરીને ઘરે ગયા હતા અને સવારના સમયે મંદિરે પહોંચતા મુખ્ય દરવાજાના તાળા તૂટેલા હતા અને દાન પેટીનું તાળું તૂટયું હતું તેમજ મંદિરના ગર્ભ ગૃહના પણ તાળા તૂટયા હતા અને માતાજીના ગળામાં પહેરાવેલો સોનાનો હાર તેમજ રોકડ રકમ મળી 1.85 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જયારે ચોરી અંગે ગામના સરપંચ અને ગ્રામજનોને તેમણે જાણ કરી હતી. ત્યારબાદ બનાવ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application