Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં તારીખ 5મી એપ્રિલથી તારીખ 23 એપ્રિલ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે

  • April 16, 2023 

વલસાડ જિલ્લામાં તા.5મી એપ્રિલથી ૨૩ મી એપ્રિલ એપ્રિલ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે. સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ દિવસ અંતર્ગત જે તે મતદાન મથકો ખાતે તા.૧૬-૦૪-૨૩ રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી પંચના નવા સુધારા મુજબ જો આપની ઉંમર ૧લી ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં અઢાર વર્ષ થતી હોય તો મતદારયાદીમાં નોંધણી માટે અરજી કરી શકાશે. અને જો મતદારયાદીમાં અગાઉથી જ નામની નોંધણી કરાવેલી હોય તો પોતાની વિગતોની ચકાસણી કરવી અને ફેરફારની આવશ્યકતા હોય તો તે માટે અરજી કરવી.






તેમજ મતદારયાદીમાં નામ નોંધણી અથવા ફેરફાર માટે ઓનલાઈ સેવાઓનો પણ ઉપયોગ કરી શકાશે. જેના માટે વોટર હેલ્પલાઈન એપ અને http://voters.eci.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે (આપના વિસ્તારનો STD કોડ) ૧૯૫૦ હેલ્પલાઈન ઉપર કચેરી સમયે સંપર્ક કરી શકાશે. સાથે સાથે હવે મતદાર યાદીમાં આપના નામ સાથી આધાર નંબર લીંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application