Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ગરીબ પરિવારો માટે અન્નપુર્ણા યોજના પુનઃ શરુ કરવાની માંગ

  • June 10, 2021 

તાપી જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા સુરત સહીત અનેક શહેરમાં શ્રમિકો માટે અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી હતી. પરંતુ જે સરકારે બંધ કરી દેતા ગરીબ શ્રમિકોને ખાવાની હાલાકી ભોગવવી પડે છે. રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે લોકોના ધંધા અને મજુરી મળતી ન હોય ત્યારે આવા સમયે 10 રૂપિયામાં અન્નપુર્ણા યોજના હેઠળ ગરીબોને મળતું અનાજ પણ બંધ થઈ ચુક્યું છે. ત્યારે સુરત સહીત અનેક શહેરોમાં રહેતા ગરીબ શ્રમિકોના હિતમાં અન્નપુર્ણા યોજના તાત્કાલિક  શરુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application