Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂનાં વાહનો રદ કરવાથી ઈંધણની બચત થશે અને પ્રદૂષણ ઘટશે : નીતિન ગડકરી

  • March 19, 2021 

કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે જૂનાં વાહનો રદ કરવાની નીતિને લીધે ઈંધણની બચત થશે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોને લગતા મંત્રાલયના પ્રધાન ગડકરીએ જૂનાં વાહનો રદ કરવાની સરકારની નવી નીતિના સંબંધમાં લોકસભામાં નિવેદન કરતા જણાવ્યું હતું કે દેશમાં વાહનોનું ટર્નઑવર હાલમાં અંદાજે રૂપિયા ૪.૫ લાખ કરોડ છે, જે જૂના વાહનો રદ કરવાની નીતિને લીધે વધીને રૂપિયા ૧૦ લાખ કરોડ થવાની આશા રખાય છે.

 

 

 

 

ગડકરીએ લોકસભામાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ક્રૅપિંગ સૅન્ટરે જૂનાં વાહનોની સ્ક્રૅપ વૅલ્યૂ નવા વાહનોની ઍક્સ-શૉરૂમ કિંમતના અંદાજે ચારથી છ ટકા હોવાની ધારણા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારોને ખાનગી વાહનોના રોડ ટૅક્સમાં પચીસ ટકા સુધીની અને કૉમર્શિયલ વાહનોમાં ૧૫ ટકા સુધીની રાહત આપવાની સલાહ અપાઇ હતી. તેણે જણાવ્યું હતું કે સ્ક્રૅપિંગ સર્ટિફિકેટ રજૂ કરનારી વ્યક્તિ જો નવું વાહન ખરીદવા આવે તો તેની રજિસ્ટ્રૅશન ફી રદ કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application