Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નદીમાં સ્નાન કરતા ડૂબી ગયેલ આધેડનો મૃતદેહ નાંદેરિયા ખાતેથી મળ્યો

  • April 22, 2025 

વડોદરા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટ પર નર્મદા નદીમાં સ્નાન કરતા ડૂબી ગયેલા અમરેલીના આધેડનો મૃતદેહ નાંદેરિયા ખાતેથી મળ્યો હતો. મળતી માહિતી મુજબ, અમરેલીનાં વિજયભાઈ બાબુભાઈ રાઠોડ સવારે મલ્હારરાવ ઘાટે સ્નાન કરતા હતા ત્યારે એકાએક નર્મદા નદીના વહેણમાં તણાવવા લાગ્યા હતા અને નદીમાં પાણીમાં ગરક થઈ ગયા હતા. ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે અમરેલીથી સપરિવાર ધાર્મિક વિધિ માટે બાબુભાઈ વાલજીભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની રંજનનાબેન બાબુભાઈ રાઠોડ અને પુત્ર વિજય ઉંમર 43 સાથે 13 જેટલા પરિવારજનો આવેલ હતા તેઓ ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલ હતા. દરમિયાન ઘટનાના 24 કલાક બાદ આજે તેમની લાશ મળી આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application