અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મૂળ મહેસાણાના ઊંઝાના કંઠરાવી ગામના નીતિનભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલા નીતિનભાઈ બે પુત્ર સાથે અમદાવાદથી ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સગા-સંબંધીએ અડાલજ નર્મદા કેનાલ પાસેથી નીતિનભાઈની રિક્ષા મળી હોવાની પોલીસને જાણ કરી હતી. જ્યારે કલોલ તાલુકાના જાસપુર કેનાલના ગણપતપુરા વિસ્તારમાંથી પિતા અને બે પુત્ર મૃતદેહ મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના નીતિનભાઈ રબારી અને તેમના 1 અને 5 વર્ષની ઉંમરના બે પુત્રો બે દિવસ પહેલા ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગાંધીનગરના કલોલ તાલુકાના જાસપુર ગામ નજીક આવેલી કેનાલમાંથી પિતા અને બે પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પિતાએ કોઈ કારણોસર બે માસુમ બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application