Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : બે પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત, પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે 8 જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો

  • August 07, 2022 

ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે બે પરિવાર વચ્ચે નજીવા બાબતે બોલાચાલી થતાં બંને પરિવાર વચ્ચે મારામારી થતાં ચારથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે આહિર ફળિયામાં રહેતાં બળવંત મના આહિરે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમની ગાય-ભેંસોને ગામની સીમમાં ચરાવવા લઇ ગયાં હતાં.




જ્યાંથી પરત આવતાં સમયે ગામનાં કબ્રસ્તાન પાસે રોડની બંને સાઇડ વાહનો પાર્ક હતાં જેથી જતી સમયે તેમની એક ભેંસનું પુછડું બાઇકને અડી જતાં ગામના જ મુજફ્ફર યુનુસ ઉઘરાદાર અને ફારૂક અમીન દેરોલીયાએ બળવંતને અપશબ્દો ઉચ્ચારી તારી ભેંસનું ધ્યાન રાખ અમારી બાઇકને નુકશાન કરે છે, તેમ કહેતાં બળવંતે જણાવ્યું હતું કે, આ જાનવરો છે તેમને શું ખરબ પડે તેમ કહીં તે ઘરે જતાં રહ્યાં હતાં.




તે દરમિયાન ઘટનાનું ઉપરાણું લઇને આફતાબ સિરાજ દુધવાલા નવાબ અમીન ઉઘરાદારે તેના ઘરે આવી બળવંત તેમજ તેના મોટા મમ્મી જશીબેન તેમજ ભાનુબેન સહીતનાઓ પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.




જયારે ઘટનામાં સિરાજ અલ્લી સુલેમાન દુધવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજે તે ઘરે હતો ત્યારે તેને જાણ થઇ હતી કે, તેનો પુત્ર આફતાબ બાઇક લઇને આવતો હતો. ત્યારે ભરવાડના છોકરા સાથે તેને ઝડઘો થયો છે. જેથી તે ત્યાં જતાં મામલામાં સમાધાન થઇ ગયું હોઇ પરત ઘરે જતાં હતાં.




તે સમયે રાજૂ ભરવાડ તેમને મળતાં તેણે તારો છોકરો કેમ ઝઘડો કેમ કરે છે, તેમ કહીં તેમના પર હૂમલો કર્યો હતો. રાજૂનુ ઉપરાણું લઇને અંકુર રાજુ આહિર, બળવંત મના આહિર તેમજ યશ ધના આહિરે પણ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 8 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application