Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરાઠા આરક્ષણ માટે નવ દિવસના ઉપવાસના કારણે આંદોલનકારી નેતા મનોજ જરાંગેને કિડની તથા લિવર પર સોજો આવ્યો

  • November 04, 2023 

મરાઠા આરક્ષણ માટે નવ દિવસના ઉપવાસના કારણે આંદોલનકારી નેતા મનોજ જરાંગેને કિડની તથા લિવર પર સોજો આવી ગયો છે અને ડિહાઈડ્રેશન થઈ ગયું છે. તેમને સ્વસ્થ થતાં સમય લાગશે તેમ તબીબોનું કહેવું છે. આરક્ષણની માગણી સાથે પહેલી વાર 17 દિવસના અને બીજી વાર 9 દિવસના ઉપવાસ મનોજ જરાંગે પાટીલે કર્યા હતા. જયારે ગતરોજ સાંજે તેણે પારણા કર્યા બાદ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



એક સ્પેશ્યલ રૂમમાં તાત્કાલિક આઇસીયુ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે અને ડોક્ટરોની ટીમ 40 વર્ષના પાટીલનો ઇલાજ કરે છે. એક સિનિયર ડોક્ટરે કહ્યું હતું કે જરાંગેની કિડની અને લીવર ઉપર બહુ સોજો ચડી ગયો છે. તેના શરીરમાં યુરિયા અને ક્રેટીનાઇનનું પ્રમાણ વધી ગયું છે. ઉપરાંત પાણી ઘટી જવાથી ડિહાઇડ્રેશન થઇ ગયું છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા સમય લાગશે. મનોજ જરાંગેએ જાલના જિલ્લાના આંતરવલી- સરાની ગામે ગત 25મી ઓક્ટોબરે આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. આરક્ષણ મુદ્દે નિર્ણયની બે મહિનામાં સરકારની ખાતરી બાદ તેમણે ગઈકાલે સાંજે ઉપવાસ પાછા ખેંચ્યા હતા. જોકે જરાંગેએ કરેલી જાહેરાત મુજબ ગામેગામ મરાઠા અનામત માટે રિલે ફાસ્ટ ચાલુ જ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application