સુરતના માંડવી તાલુકાના વાંકલા ગામે ૩૮ વર્ષીય યુવકે પોતાના ઘરમાં કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા સાથે આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૮-૦૩-૨૦૨૫ નારોજ સવારે વાંકલા ગામના સરકણીયું ફળિયામાં રહેતા મનીષભાઈએ અગમ્ય કારણોસર પોતાના ઘરના માળિયામાં લાકડા સાથે નાયલોનની દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતોઆ ઘટનાની જાણ મનિષભાઈ ના પાડોશી સામજીભાઈ કુલાભાઈ ચૌધરીએ પોલીસને કરી હતી. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application