બારડોલીના બાબેન ગામની શબરીધામ સોસાયટીમાં રહેતું દંપતી લોન ભરવામાં નિષ્ફળ જતા બેંકે મકાન કબજે કરી સીલ માર્યુ હતું. બેંકે આ મકાન સુરતની ફાઈનાન્સ કંપનીને સોંપી દીધું હતું. દંપતી આ સીલ તોડી મકાન પર ફરી કબજો જમાવી રહેવા લાગ્યું હતું. જેથી ફાઈનાન્સ કંપનીએ બારડોલી ટાઉન પોલીસ મથકે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, બારડોલીના બાબેન ગામની શબરીધામ સોસાયટીમાં મકાન નં.બી/૨૫૦માં કિશોર મગનલાલા જાધવ અને તેની પત્ની વિદ્યા રહેતા હતા. તેમણે બેંક પાસેને મકાન મોર્ગેજ મૂકી લોન લીધી હતી. તેમણે લોન ન ભરતા બેંકે તેમનું મકાન કબજે કરીને સીલ કર્યુ હતું. બેંકે વેચાણથી ચોલા મંડલમ ઇનવેસ્ટમેન્ટ ફાઈનાન્સ કંપની લિ. (૭ ફ્લોર જૂનું મોન્ટેના ટાવર આર.ટી.ઓ. ઓફિસ સામે, પાલ રોડ, સુરત) મકાનનો કબજો આપ્યો હતો. જાદવ દંપતી આ મકાનનું સીલ તોડી નાંખી આ મકાન પર ફરી કબજો જમાવી રહેવા લાગ્યું હતું. ફાઈનાન્સ કંપનીના બ્રાંચ લીગલ મેનેજરએ પોલીસ ફરિયાદ નોંધવતા બારડોલી ટાઉન પોલીસ મથકે જાદવ દંપતી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application