Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂજા ખેડકર વિવાદ પછી UPSCને 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી જેમણે પોતાના સર્ટિફિકેટમાં કર્યા છે ચેડા

  • September 09, 2024 

બરતરફ કરવામાં આવેલ આઇ.એ.એસ. પૂજા ખેડકર વિવાદ પછી આવા જ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે છે. પૂજા ખેડકર વિવાદ પછી યુ.પી.એસ.સી.ને 30થી વધારે એવા અધિકારીઓની ફરિયાદ મળી છે જેમણે પોતાના સર્ટિફિકેટમાં ચેડાં કર્યા છે. આયોગ ટૂંક સમયમાં આવા અધિકારીઓની તપાસ કરી શકે છે. જોકે આયોગ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વાસ્તવમાં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક છે.


આ પરીક્ષાના માધ્યમથી આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અને આઈ.આર.એસ. વગેરે અધિકારીઓની પસંદગી થાય છે. જે પછી તેમને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પૂજા ખેડકર વિવાદ પછી યુપીએસસીના ડોક્યુમેન્ટમાં ચેડાં કરી પસંદગી પામેલા 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી છે. દાવો કરવામાં આવ્યો છે કે, પસંદગી પામેલા અધિકારીઓએ પોતાના સર્ટિફિકેટ અને અન્ય વિગતોમાં ખોટી માહિતી આપી છે. બીજી તરફ સરકાર ઉમેદવારો દ્વારા દિવ્યાંગતા માપદંડ અને કોટાના દુરુપયોગને રોકવાના ઉપાયો પર સક્રિય રીતે વિચારના કરી રહી છે. આ માટે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તત્કાલિન અસરથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (આઇએએસ)માંથી મુક્ત કરી દીધા છે. સરકારે પરીક્ષામાં ઓબીસી કોટાના દુરુપયોગ બદલ પૂજા ખેડકર સામે આ કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News