Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓનાં મોત

  • October 04, 2023 

મહારાષ્ટ્રનાં નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓનાં મોત થઈ ગયા છે. નાગપુરની મેડિકલ કોલેજ અને ઈન્દિરા ગાંધી સરકારી કોલેજમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાંથી 16 દર્દી સરકારી મેડિકલ કોલેજ અને 9 દર્દી ઈન્દિરા ગાંધી સરકારી કોલેજના છે. નાંદેડ અને ઔરંગાબાદ બાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓના મોત નિપજ્યા હતા. આ અગાઉ મહારાષ્ટ્રનાં છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગતરોજ સવારે 8:00 વાગ્યા સુધી 24 કલાકમાં 18 દર્દીઓનાં મોત થઈ ગયા હતા.



આ અગાઉ નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં કુલ 31 લોકોના મોત થઈ ગયા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, તારીખ 2 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાથી 3 ઓક્ટોબરના રોજ સવારે 8:00 વાગ્યાની વચ્ચે છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 18 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જી.એમ.સી.એચ.માં નોંધાયેલા 18 લોકોના મોતમાંથી 4 લોકોને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application