સુરત જિલ્લાનાં કામરેજનાં નવાગામ ખાતે ૩૪ વર્ષીય સૌરાષ્ટ્રવાસી યુવક આકસ્મિક રીતે પડી જતા તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, હાલ કામરેજના નવાગામ ખાતે શ્યામનગર-૧માં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના દાઠાગમના ૩૫ વર્ષીય યોગેશભાઈ મનુભાઈ ભીલ કડિયાકામ કરતા હતા. યોગેશભાઈ જાહેરાત આપનાર નિલેશભાઈ મનુભાઈ ભીલના ઘરેથી નીકળી ચાલતા જઈ રહ્યા હતા. તેઓ નવાગામની સીમમાં શ્યામનગરની ચોકડીની બાજુમાં આકસ્મિક રીતે પડી ગયા હતા. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ યોગેશભાઈને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગેની જાણ કામરેજ પોલીસને કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application