Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેપાળમાં 6.4ની તીવ્રતાનાં ભૂકંપ 128 લોકોએ જીવ ગુમાવ્યા, 1000થી વધુ લોકો ઘાયલ

  • November 04, 2023 

નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 128 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, 6.4ની તીવ્રતાના ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. નેપાળમાં ગતરોજ 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા.



દિલ્હી-NCRમાં પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application