સુરત જિલ્લાના માંડવીના કરંજ ગામે આવેલા પ્રકાશભવન એપાર્ટમેન્ટમાં રહેતી ૧૪ વર્ષીય તરૂણીએ પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધીને તેના વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરંજ ગામે લીમોદરા પાટિયા પાસે આવેલા પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના માઉગંજ જિલ્લાના રહેવાસી રાજેન્દ્રપ્રસાદ રઘુનાથપ્રસાદ પરિવારમાં એકના એક સંતાને ભરેલા કારણ હજી પગલાંનું રહસ્ય શાહુની પુત્રી અર્ચના (ઉ.વ.૧૪) ધો.૮માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. તેના માતાપિતા નોકરી કરતા હોય, રવિવારે તેઓ ફરજ પર ગયા હોવાથી અર્ચના ઘરે એકલી હતી. દરમિયાન તેણે પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધીને તેના વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અર્ચના તેના માતાપિતાનું એકનું એક સંતાન હતું. અર્ચનાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application