વ્યારાનાં ડુંગરગામનાં યુવકે કોઈ કારણસર પોતાના ખેતરમાં ભીંડામાં નાંખવાની ઝેરી દવા ગટગટા લેતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં ડુંગરગામનાં વેઠીયા ફળીયાના રહીશ નિલેશભાઈ ધીરૂભાઈ ચૌધરી(ઉ.વ.૩૨)નાએ ગત તારીખ ૧૯/૦૨/૨૦૨૫ નારોજ કટાસવાણ ગામના ગમારી ફળીયામાં આવેલા પોતાના ખેતરમાં જઈને કોઈક કારણસર ભીંડામાં નાંખવાની જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. જેથી તેની તબિયત કથળતા તેને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તારીખ ૨૦/૦૨/૨૦૨૫ નારોજ નિલેશનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પંકજભાઈ ધીરૂભાઈ ચૌધરી (ઉ.વ.૩૦)નાએ કાકરાપાર પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application