ગરૂડેશ્વરનાં વડવાળા ધરામાં નહાવા જતાં ડુબી જતાં શોધખોળ ચાલુ છે. બનાવની વિગત એવી છે કે, સંજયભાઈ ભરતભાઈ તડવી (રહે.વાગડીયા, તા.ગરૂડેશ્વર, જી. નર્મદા) તારીખ ૧૩ એપ્રિલ નારોજ સાંજનાં સમયે વાગડીયા ગામ નજીક આવેલા વડલાવાળા ધરામાં નહાવા માટે ગયેલો તે વખતે પાણીના વહેણમાં તણાઈ જવાથી ડુબી ગયેલો અને તેની શોધખોળ કરતા ભોગબનનાર મળી આવેલો નથી. આ બાબતે સલામતી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application