Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ જીવન ટુંકાવ્યું

  • March 20, 2025 

ભાવનગર શહેરના શિવાજી સર્કલ ઘોઘા જકાતનાકા નજીક રહેતી પરિણીત મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય આ બીમારીથી કંટાળી શહેરના બોરતળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર, ભાવનગર શિવાજી સર્કલ ઘોઘા જકાતનાકા નજીક રહેતા રેખાબેન ઘનશ્યામભાઈ સરવૈયા છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને આ બીમારીની દવા પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળેલી મહિલાએ બોરતળાવના ફુટ લેવલ વિસ્તારમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ બોરતળાવના ચોકીદાર રાજુભાઈએ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી જઈ મૃતદેહને બહાર કાઢી બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને સોંપવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application