બારડોલીના ઝાખરડા ગામે જૂના ફળિયામાં રહેતી દક્ષાબેન વિક્રમભાઈ હળપતિએ પોતાના ઘરમાં રસોડાના ભાગે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા કરવાનું કારણ પોલીસે ફરિયાદમાં એવું નોંધ્યું છે કે, દક્ષાબેનને તેની છોકરી ઊર્મિલાબેને રહ્યું હતું કે જાતે મજૂરી કરી કમાઈને જાતે બનાવીને ખાવો. આ વાત સાંભળી દક્ષાબેનને મનમાં ખોટું લાગતા તેણીએ પોતાની છોકરી ઉર્મિલા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જેથી રાત્રે ઊર્મિલાબેન પોતાના મામાના ઘરે રાત્રે સૂવા ગઈ હતી તે વખતે દક્ષાબેનને ઘરના રસોડાના ભાગે છતની લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ઊર્મિલાબેન જયેશભાઈ રાઠોડ (રહે.ધામદોડ લુંભા ગામ, તા.બારડોલી)ની ફરિયાદ લઈ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application