Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : પરિણીતાએ પરિવારની ગેરહાજરીમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

  • December 26, 2023 

પારડીના દમણીઝાંપા ખાતે આવેલી બિલ્ડિંગના ફ્લેટમાં 38 વર્ષિય પરિણીતાએ પરિવારની ગેરહાજરીમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. આપઘાત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. બનાવની વિગત એવી છે કે, પારડી દમણીઝાંપા ખાતે સાંઈ કોમ્પ્લેક્ષના ફ્લેટમાં રહેતા ખુશ્બુ નિલેશ પટેલનો હાલ 13 વર્ષનો રિધમ નામે દીકરો છે. સવારે તેનો દીકરો રિધમ સાડા સાતેક વાગ્યે સ્કૂલે ગયો હતો. પતિ નિલેશભાઈ આઠેક વાગ્યે નોકરી પર ગયા હતા.



આ દરમિયાન ઘરે ખુશ્બુ એકલી હતી. બપોરે જ્યારે નિલેશભાઈના પિતા ઘરે જમવા આવતા ખુશ્બુએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેના પિતાએ નિલેશને ફોન કરી જાણ કરતાં નિલેશ ઘરે આવ્યો હતો. દરવાજો તોડી જોતાં ખુશ્બુ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને નીચે ઉતારી પારડી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે ખુશ્બુને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ તેમના સગાસંબંધીઓ તથા મિત્ર વર્તુળને થતાં તેઓ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા. જોકે, હાલ પોલીસ મથકે ખુશ્બુએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application