Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં સરીગામમાં યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 27, 2024 

ઉમરગામનાં સરીગામ રોહિતવાસ જીતેશભાઈ રોહિતની ચાલીમાં રૂમ નંબર-8માં રહેતી પરિણીતા શિમ્પી અમિતભાઈ ફુલચંદ્ર કેસરવાની (ઉ.વ.26., મૂળ રહે.યુપી)એ બુધવારે સવારે 10થી 10.15 વાગ્યા દરમિયાન ભાડેનાં રૂમમાં કોઈ અગમ્ય કારણોસર લાકડાના દાંડા ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ ભીલાડ પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ અમિતભાઈ કેસરવાનીએ કરી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર ધસી જઈને લાશનો કબજો લઈ તેને પીએમ માટે મોકલી હતી. પોલીસે હાલ અકસ્માત અંગેનો ગુનો નોંધી પરિણીતાએ ભરેલાં અંતિમ પગલા વિશે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application