Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભિલાડ ગામે અજાણ્યા વાહન અડફેટે રાહદારી આધેડનું મોત નિપજ્યું

  • June 30, 2024 

ઉમરગામનાં ભિલાડ હનુમાનજી મંદિર ઈક્કો સ્ટેન્ડ પાસે નેશનલ હાઈવે નંબર-48 ઉપર વાપીથી મુંબઈ તરફ જતા રોડ ઉપર શુક્રવારે સવારે ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા લક્ષ્મણભાઈ કચરાભાઈ બરાડી (ઉ.વ.57., રહે.ભિલાડ, પ્લાઝા શોપિંગ સેન્ટર, રૂમ નંબર ૧૧, મૂળ રહે. રાજસ્થાન)નાંને ટક્કર મારી અકસ્માત સજર્યો હતો. આ અકસ્માતમાં લક્ષ્મણભાઈનાં માથાના અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત કરી વાહન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ ભિલાડ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પીએક કરાવડાવ્યું હતું. આ બનાવની ફરિયાદ મૃતકના જમાઈ જગજીભાઈ મીણાએ ભિલાડ પોલીસ મથકમાં કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application