Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • February 17, 2023 

વલસાડનાં નંદાવલા હાઇવે ઉપર સુરત તરફ જતી ઇકો કાર ચાલકે રસ્તો ક્રોસ કરતા રાહદારી આધેડને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે રાહદારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનામાં સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત રાહદારીને 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.






જ્યાં સારવાર દરમિયાન રાહદારીનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે રાહદારીને પરિવારનાં સભ્યોએ કાર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, વલસાડનાં નંદાવલા સ્કૂલ ફળીયા ખાતે રહેતા નાનુભાઈ છગનભાઈ પટેલ લાડલી હોટલ સામે આવેલી દુકાનમાં સામાન લેવા ગયા હતા.






તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે એક ઇકો કાર નંબર GJ/05/RB/8440નાં ચાલકે કારને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નાનુભાઈ પટેલને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે કારનો ચાલક અકસ્માત થતાં ઇકો કાર મૂકી ભાગી છુટ્યો હતો. અકસ્માતમાં નાનુભાઈને માથાના ભાગે તથા બંને પગમાં તથા હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી.





જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નાનુભાઈ છગનભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે નાનુભાઈના દીકરા ચિંતન નાનુભાઈ પટેલે વલસાડ રૂલર પોલીસ મથકે ઇકો કાર ચાલક મેહુલ મનહરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રૂલર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application