Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેન અડફેટે આવતાં શ્રમજીવી યુવાનનું મોત

  • December 15, 2022 

ધરમપુરનો 19 વર્ષીય શ્રમજીવી યુવાન બપોરે પારનેરા પારડીથી વશિયર વચ્ચે ડબલડેકર ટ્રેનની અડફેટે આવી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા રેલવે પોલીસ દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી  અનુસાર, ધરમપુરનાં હેદરી ઉપલું ફળિયામાં સુભાષ રમેશભાઈ બરફ (ઉ.વ.19) રહે છે. સુભાષ બરફ વલસાડ નજીકનાં સેગવી ગામે આવેલી એક આંબાવાડીમાં મજુર તરીકે કામ કરે છે.



જયારે બપોરે વલસાડનાં પારનેરા પારડીથી વશીયર રેલવે લાઈન વચ્ચે આવેલા થાંભલા નંબર 194/7થી 194/9 વચ્ચેની લાઈન પર ચાલતી વખતે સુરતથી મુંબઈ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનની ટક્કર વાગતા માથા તેમજ શરીરનાં ભાગે ગંભીર ઇજા થવાથી સુભાષ બરફનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.




ઘટનાની જાણ થતાં સુભાષનાં માતા-પિતા ભાઈ દોડી ગયા હતા. જોકે સુભાષ બરફનું અચાનક ટ્રેન અડફેટે મોતની જાણ થતાં ધરમપુરમાં મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ રેલવે પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application