Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : પરિણીતાને પતિ અને સાસરિયાએ ઝગડો કરી ઘરમાંથી કાઢી મૂકતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

  • September 17, 2023 

વલસાડમાં રહેતા પરિવારની પરિણીતાને વડોદરાના પતિ અને સાસરિયાએ ઝગડો કરી ઘરમાંથી કાઢી મૂકતાં ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં ધોબીતળાવમાં અંબાજી મહોલ્લામાં રહેતી સુધાબેનના લગ્ન ડિસેમ્બર 2022માં વડોદરાના ખોડિયાર નગરમાં રહેતા હરેશ વાઘરી નામના યુવક સાથે થયા હતા. ત્યારબાદ 3થી 4 મહિના થતાં સાસરિયા અને પતિએ મેણાંટોણાં મારી ઝગડો કરવાનુ શરૂ કર્યું હતું. જોકે સસરા, જેઠ જેઠાણીએ પતિ હરેશ પાસે પૈસા માગવા નહિ તેમ કહી ટોણાં મારી તકરાર કરતાં સુધાબેન માનસિક ત્રસ્ત થઇ ગયા હતા.



અમુક દિવસે માર મારતા અને હેરાન પરેશાન કરી તેમણે સુધાબેનને પિયર વલસાડ મૂકી ગયા હતા. બાદમાં સમાધાન થતાં સાસરે લઇ ગયા હતા. પરંતુ ફરીથી ઝગડો કરી માર મારતા ફરીથી તેણીને પિયર લાવવામાં આવી હતી. જેથી સમાધાન માટે પતિ તથા સાસરિયા આવ્યા હતા. જોકે સમાધાન થવા છતાં હેરાન કરાતા સુધાબેન પિયર આવી ગયા બાદ તેણીને સાસરે નહિ લઇ જઇ પતિ પણ તેણીને લઇ જવાનો નથી તેવું જણાવી દીધું હતું. જેના પગલે સુધાબેને પતિ હરેશ, સસરા નવીનભાઇ વાઘરી, જેઠ મહેશ વાઘરી અને જેઠાણી અરૂણાબેન વાઘરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application