Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : 24 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું, પોલીસ તપાસ શરૂ

  • July 10, 2023 

વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં આવેલા મણિનગર ખાતે આવેલી એક ચાલીના ભાડામાં રહેતા ઝારખંડનો યુવકે બે દિવસ પહેલા વતનથી પરત ફર્યો હતો. ત્યારે રવિવારે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધી હતું. રૂમનો દરવાજો ન ખોલતા આજુબાજુનાં રહીશોને શંકા જતા રૂમની બારી ખોલી ચેક કરતા યુવક ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસે લાશનો કબ્જો લઈને લાશનું PM કરાવી બનાવની જાણ યુવકના પરિવારજનોને કરી આગળની તપાસ હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, વલસાડ શહેરનાં મોગરાવાડીનાં મણીનગર વિસ્તારમાં કામલીસાબેન રાવતની ચાલીના ભાડાનાં રૂમમાં 2 માસથી રહેતો ઝારખંડનો 24 વર્ષીય યુવક સુભાષ સિકંદર ચૌધરી બે દિવસ પહેલા જ ઝારખંડ પોતાના વતનથી વલસાડ ખાતે પરત ફર્યો હતો. જયારે પોતાના રૂમમાં અગમ્ય કારણોસર સુભાષ ચૌધરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ પાડોશીઓને તેમજ રૂમ માલિકને થતા તાત્કાલિક વલસાડ સીટી પોલીસ અને અગ્રણીઓને બનાવની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા રૂમનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો.



પોલીસે બારીવાટે રૂમમાં પ્રવેશી રૂમનો દરવાજો ખોલી ઘટના સ્થળની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવાની તજવીજ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ મથકે રૂમ માલિકના દીકરા રોહિત રાવતે બનાવની નોંધ કરાવી હતી. વલસાડ સીટી પોલીસે એ.ડી.ની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસે ઝારખંડ રહેતા યુવકના પરિવારને બનાવની જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે. રૂમની આજુબાજુમાં રહેતા પાડોશીઓ નિવેદન અને રૂમ માલિકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application