વલસાડ જિલ્લાનાં ગુંદલાવનાં દયાલ નગરમાં નસરીનબેન શેખ (રહે.મૂળ ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ) તેમના પતિ સુલતાન મુસ્તફા શેખ અને બે સંતાનો સાથે ભાડાના મકાનમાં ભાડુઆત તરીકે રહે છે. નસરીનબેન ઘરકામ કરી પરિજનોનું ગુજરાન ચલાવે છે. તેણીના પતિ બીમાર રહેતા હોવાથી હાલે તેઓ કોઈ કામ કરતા નથી. જયારે પરિવારના સભ્યો જમી પરવારીને સુઈ ગયા હતા. રૂમમાં પંખો નહિ હોય, શેખ પરિવારના સભ્યોએ દરવાજો ખુલલો જ રાખ્યો હતો.
આ દરમિયાન સવારે ૪ વાગ્યાથી ૫ વાગ્યા સુધીમાં અચાનક આવી પહોંચેલા કોઈક અજાણ્યા ઈસમે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે સુલતાન શેખના આંખ અને મોઢાં ભાગે ઘા કરી ગંભીર ઈજા પહોચાડી હતી. ઈજાના કારણે સુલતાન શેખ બેભાન થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે નસરીનબેન શેખે અજાણ્યા ઈસમ સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application