Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરેન્દ્રનગરનાં ચોટીલા પાસેનાં અકસ્માતમાં બે લોકોનાં મોત, નવ લોકો ઘાયલ

  • February 20, 2023 

જૂનાગઢથી અમદાવાદ તરફ આવતી પીકઅપ વાનને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પાસે અકસ્માત નડ્યો હતો. જયારે આજરોજ સવારે અમદાવાદ તરફ આવી રહેલ પીકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વાનમાં મુસાફરી કરતા 2 લોકોનાં મોત થયા હતા અને 9 મુસાફરો ઘાયલ થયા હતા. જેથી ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સવારે અમદાવાદ તરફ આવી રહેલ પીકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.






જેમા ચોટીલા હાઈવે પર આવેલ ક્રિષ્ના હોટલ પાસે અકસ્માત થયો હતો જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના અંગે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી તેથી 108 મારફતે ઈજા પામેલ 9 મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, જૂનાગઢથી અમદાવાદ તરફ આવતી પીકઅપ વાનને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પાસે અકસ્માત નડ્યો હતો. પીકઅપમાં મુસાફરી કરતા બે લોકોનાં મોત થયા હતા અને 9 મુસાફરો ઘાયલ થયા હતા.





આ ઘટનાની જાણ થતાં લોકો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જયારે ઈજા પામેલ 9 મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે બાદ વધુ ગંભીર જણાતા વ્યક્તિને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ અંગે ચોટીલા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News