Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલઘરનાં ફેકટરીમાં એક દુર્ઘટનાનાં સર્જાતા બે લોકોનાં મોત, બે લોકો ઈજાગ્રસ્ત

  • February 08, 2023 

મુંબઈનાં પાલઘરમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાંધકામ હેઠળની ફેકટરીમાં એક દુર્ઘટનાનાં સર્જાતા બે કામદારનાં મોત નીપજ્યા હતા, જ્યારે બે ઇજાગ્રસ્ત થયા હતા. પાલઘર પોલીસનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર સોમવારે સવારે 11 વાગ્યે અહીંના એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ નિર્માણધીન ફેકટરીમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ક્રેનની મદદથી લોખંડનું સ્ટ્રકચર છત પર ગોઠવવામાં આવી રહ્યું હતું.





તે સમયે આ સ્ટ્રકચર તૂટીને પડતા તેની નીચે દબાઇ જવાથી બે કામદારનાં મોત થયા હતા, જ્યારે બે જણ ઘવાયા હતા. આ ઘટનામાં રામદ્દીન નિશાદ (ઉ.વ.41) અને રાહુલ નિશાદનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ પંચનામું હાથ ધરી બંને કામદારનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application