Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોમ્બે હાઈકોર્ટ - ફૂટપાથ રાહદારીઓ માટે છે કોઈ વ્યવસાય ચલાવવાની જગ્યા નથી

  • February 09, 2023 

ફૂટપાથનો ઉદ્દેશ્ય રાહદારીઓ માટે ચાલવાનો સુરક્ષીત રસ્તો  પૂરો પાડવાનો અને ટ્રાફિકને સરળતાથી આગળ ચલાવવાનો છે અને જો પાલિકા સ્ટોલ ધારકોને ફૂટપાથની વચોવચ્ચ સ્ટોલ ઊભો કરવાની પરવાનગી આપશે તો આ હેતુ બર આવશે નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. વરલી ખાતેની એક હોસ્પિટલની બહાર ફૂટપાથ પર 11 સ્ટોલ ધારકોને સ્ટોલ ઊભો કરવાની ગયા વર્ષે અપાયેલી પરવાનગી આપતા નિર્ણયનો પુનર્વિચાર કરવા હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકાને નિર્દેશ આપ્યો છે.






તિલક હોસ્પિટલ ચલાવતી સ્વયંસેવી સંસ્થા ધ બોમ્બે મોધર્સ એન્ડ ચિલ્ડ્રન વેલફેર સોસાયટીએ પાલિકાના નિર્ણયને પડકારીને કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધર્મના સ્થળળોથી 100 મીટરના અંતરે ફેરિયાઓ પર પ્રતિબંધ હોવાની દલીલ અરજદાર વતી કરવામાં આવી હતી. પાલિકાએ દાવો કર્યો હતો કે, પ્રતિબંધ ફેરિયાઓ માટે છે સ્ટોલ ધારકો માટે નથી. હાઈકોર્ટે જણવાયુંહતું કે, અમે આ મુદ્દા તપાસીશું પણ સાથે જ ફૂટપાથના યોગ્ય વપરાશને લઈને સમસ્યા છે.  ફૂટપાથ રાહદારીઓ માટે છે અને કોઈ વ્યવસાય ચલાવવાની જગ્યા નથી.





જો પાલિકા સ્ટોલ ધારકોને ફૂટુપાથ પર સ્ટોલ ઊભો કરવાની પરવાનગી આપતી હોય તો પાલિકા જનહિતના વિરુદ્ધ ચાલી રહી છે કેમ કે તેને કારણે રાહદારીઓને અવરોધ ઊભો થાય છે અને પરિણામે તેમને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે અને તેમના તથા વાહનમા રહેલા લોકોના જીવને જોખમ ઊભું થાય છે, એમ કોર્ટે ખખડાવીને પાલિકાને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application