Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-6નાં પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ

  • February 09, 2023 

આથી તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-6 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2023-24) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ 15.02.2023 સુધી લંબાવવામાં આવેલ છે. ઉમેદવાર Www.navodaya.gov.in પર અને https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે.



વધુમાં ઓનલાઈન સુધારા માટેની વિન્ડો તારીખ 16 અને 17મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. નોંધાયેલ વિદ્યાર્થીઓના ડેટામાં ફક્ત જાતિ, (પુરુષ/સ્ત્રી), વર્ગ (સામાન્ય/ઓબીસી/એસ.સી./એસ.ટી.), ક્ષેત્ર (ગ્રામીણ/શહેરી), વિકલાંગતા અને પરીક્ષાના માધ્યમમાં જ સુધારો થઇ શકશે. એમ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, જિ. તાપીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application