ડોલવણ તાલુકાનાં બેડચીત ત્રણ રસ્તા પાસે આવેલા એક ઘરમાં અજાણ્યા તસ્કરોએ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ અને દાગીનાં મળી કુલ રૂપિયા 68,000/-ની ચોરી કરી ફરાર થઈ જતાં ફરીયાદ નોંધાવમાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ 30 મે’ના રોજ બેડચીત ગામે ત્રણ રસ્તા પાસે રહેતા ખેડૂત ભરતભાઈ નાગરભાઈ પટેલ જેઓ રાત્રિના 8 વાગ્યાના સુમારે કોળીવાડ ફળિયામાં રહેતા એમના બેનના ઘરે મળવા માટે આવ્યા હતા. તેમજ ત્યાંથી 9 વાગ્યાના ઘરે પરત ફર્યા હતા તે સમયે ઘરનું બારણું ખુલેલી હાલતમાં જણાઈ આવતા ઘરની અંદર ચીજ વસ્તુઓ વેરવિખેર પડેલી હતી. તેમજ કબાટમાં મુકેલા રોકડ રકમ રૂપિયા અને ચાંદીના સાંકડા મળી કુલ રૂપિયા 68,000/-ની ચોરી થયો હોવાનો બનાવ ભરતભાઈ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application