Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-નવાપુર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે પાંખરી ગામનાં આધેડનું મોત

  • December 22, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં પાંખરી ગામની સીમાંમાંથી પસાર થતાં સોનગઢથી નવાપુર તફર જતાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે આવતાં પાંખરી ગામનાં આધેડનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા જેરમાભાઈ સુરજીભાઈ ગામીત (ઉ.વ.60) નાઓ ગત તા.20 ડીસેમ્બરનાં રોજ બપોરનાં સમયે પાંખરી ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢથી નવાપુર તરફ જતાં નેશનલ હાઈવે નંબર-53 પરથી પોતાનાં કબ્જાની ભૂરા કલરની TVS કંપનીની XL સુપર પાવર ઝીઆ મોપેડ નંબર GJ/19/D/1751ને લઈ કુહાડી ઘસાવવા માટે ભડભુંજા ગામે જતા હતા.




તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલક જેના નામઠામ કે સરનામાની તેમજ વાહનનાં નંબરની ખબર નથી તે અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જેરમાભાઈની મોપેડ બાઈકને ટક્કર મારી નીચે રોડ ઉપર પટકાવી દેતા જેરમાભાઈને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને શરીરે પણ ઓછીવત્તી ઇજા પહોંચતા જેરમાભાઈનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનાં કબ્જાનું વાહન લઇ સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. બનાવ વંગે મૃતકનાં પુત્ર ઈમાનવેલભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ઉચ્છલ પોલીસે મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application