Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-સોનગઢ હાઈવે ઉપર બાઈક અડફેટે આવતાં અસ્થિર મગજનાં ઈસમનું મોત

  • April 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં આનંદપુર ગામની સીમમાંથી તારીખ 15/04/2023નાં રોજ ઉચ્છલથી-સોનગઢ જતાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર એક બાઈક નંબર GJ/26/AA/7177નાં ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજાણ્યા અસ્થિર મગજનાં ઈસમને પાછળથી ટક્કર મારતા તેણે માથાનાં ભાગે તથા ડાબે પગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.






બનાવ અંગે મુકેશભાઈ કાળુભાઈ વાણીયાઆહીરની ફરિયાદનાં આધારે ઉચ્છલ પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વધુમાં મરણ પામનાર અસ્થિર મગજનો અજાણ્યા ઈસમની ઉંમર 60થી 65 તેમજ શરીરે પાતળા બાંધાનો, રંગે શ્યામ વર્ણનો, ઊંચાઈ 5.3 તેમજ તેણે શરીરે આછા લીલા કલરની ટી-શર્ટ તથા આછા લીલા કલરનું પેન્ટ તથા લાલા કલરની નીકર પહેરલ છે તેમજ કમરનાં ભાગે કાથા તથા પ્લાસ્ટીની દોરી તથા કેબલનો વાયર તથા ટ્યુબથી કડીયાકામ કરવા માટેનું લેલુ છે તથા બંને પગમાં ચામડાનાં ચંપલ દોરી વડે બાંધેલ છે તથા છાતીનાં ભાગે ટ્યુબથી કાળા કલરનું રબ્બર બાંધેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application