Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં વેડછી ગામે સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

  • March 30, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં વેડછી ગામેથી વાલોડથી અંબાચ તરફ જતાં રસ્તા પર સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાલોડનાં વેડછી ગામનાં નવી વસાહત ફળિયામાં રહેતા જગદીશભાઈ જેઠાભાઈ ચૌધરી (ઉ.વ.45)નાંઓ ગત તારીખ 05/03/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/B/8378ને લઈ અશોકભાઈ ચૌધરીનાં ખેતર વાલોડથી અંબાચ તરફ જતાં રોડ પરથી પસાર થતાં હતા.


તે સમયે જગદીશભાઈની કબ્જાની બાઈક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જયારે આ અકસ્માતમાં જગદીશભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી જેથી તેમણે વ્યારા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમનું લાંબી સારવાર બાદ 11/03/2024નાં રોજ મળસ્કે મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર ભાવિકકુમાર ચૌધરી નાંએ તારીખ 28/03/2024નાં રોજ અકસ્માત અંગે વાલોડ પોલીસ મથકે જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application