Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Committed Suicide : યુવકને મન દુઃખ થતાં ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • March 18, 2024 

કુકરમુંડા તાલુકાનાં તોરંદા ગામે રહેતા ખેડૂત ઈશ્વરભાઈ સેવાભાઈ વસાવાનાં સંતાનમાં બે પુત્ર પૈકી નાનો પુત્ર આતિશ (ઉ.વ.21) કુકરમુંડાનાં મેણપુર ગામે આવેલ તેઓનાં ખેતરમાં પિતા સાથે ખેતી કામ કરતો હતો. જોકે શુક્રવારની સાંજે આતિશે માતા સવિતાબેન પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા.


પરંતુ માતાએ પૈસા ના આપતા આતિશને મન દુઃખ થયું હતું અને ખોટું લાગી આવતા ઘરેથી બાઈક લઈને મેણપુર ગામે પોતાના ખેતરમાં ગયો હતો અને ઉમરાની વૃક્ષની ડાળી સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયારે મોડી સાંજે પણ આતિશ ઘરે પરત ન થતા પરિવારે શોધખોળ કરી હતી તે દરમિયાન ખેતરમાં ફાસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. ઘટના અંગે પિતા ઈશ્વરભાઈએ નિઝર પોલીસ મથકે અકસ્માત્મક ગુનાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application