Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં જૂની અદાવતે મારામારી : ચાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

  • June 13, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાની નવી  વસાહત કાનપુરા વિસ્તારમાં જૂની અદાવત રાખી થયેલ મારામારીની ઘટનામાં વ્યારા પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે ચાર જણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મારામારીની ઘટનામાં ત્રણ જણાને ગંભીર ઈજા પહોંચતા વ્યારાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.



મળતી માહિતી અનુસાર, વ્યારાની નવી વસાહત કાનપુરા વિસ્તારમાં ગત તા.૧૧/૦૬/૨૦૨૨ નારોજ આરોપી સંજુ રામરતન કુશવાહ નાએ આશિષભાઇ સાથે બોલાચાલી કરી લાકડુ લઇને મારવા આવતાં આશિષભાઇ તેમની મોપેડ નવી વસાહતમાં આરોપીના ઘરની પાસે આવેલ સ્કુલ પાસે મુકી આવ્યા હતા. જોકે રાત્રીના અરસામાં ભાવેશભાઇ સંતોષભાઇ પરદેશી, આશિષભાઈ તથા લાલુ રમેશભાઈ પંચાલ સાથે મોપેડ લેવાં જતા હતા.



તે સમયે નવી વસાહતના (આરોપીઓ) ચાર જણાએ અગાઉ બાકડા ઉપર  બેસવા બાબતે ભાવેશભાઇ પરદેશીના ભાઇ આશિષ સાથે બોલાચાલી થયેલ જેની અદાવત રાખી હાથમાં લાકડાનાં ડંડા લઇને દોડી આવ્યા હતા અને આશિષભાઇને મારી નાખવાના ઇરાદે માથામાં લાકડાના ફટકા મારી ડાબા કાન પાસે ઇજા પહોંચાડી હતી.



તેમજ આશિષભાઇને લાકડાનો ફટકો મારવા જતા ભાવેશભાઇએ પોતાનો ડાબો હાથ આડો કરી દેતાં તેમને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. તેમજ લાલુ રમેશભાઇ પંચાલને કપાળના ભાગે લાકડાનો ફટકો મારી ઇજા ગંભીર ઈજા પહોંચાડી હતી.



બનાવ અંગે ભાવેશભાઇ સંતોષભાઇ પરદેશી રહે,નવી વસાહત કાનપુરા-વ્યારા નાઓની ફરિયાદના આધારે તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ વ્યારા પોલીસે (૧) સંજુ રામરતન કુશવ, (૨) સંતોષ રામરતન કુશવાહ, (૩) સરોજ રામરતન કુશવાહ અને (૪) રામરતન કુશવાહ (તમામ રહે. નવી  વસાહત, કાનપુરા વ્યારા તા.વ્યારા) ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application