Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં પેટ્રોલ પંપનાં કર્મીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી

  • July 05, 2022 

વ્યારાનાં પનીયારી ગામે પેટ્રોલ પંપના કર્મીએ રાત્રે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢના હાથી ફળીયામાં રહેતો યોગેશભાઈ ભીખાભાઈ ઢોડીયા (ઉ.વ.૫૦) નાનો વ્યારા-કોલેજ રોડ પર પનીયારી ગામે આવેલ જય અંબે પેટ્રોલ પંપ ખાતે પંપ કર્મી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.




જોકે તેઓ રાબેતા મુજબ રવિવારનાં રોજ પણ જય અંબે પેટ્રોલ પંપ પર હાજર હતા, જોકે રાત્રીનાં આશરે ૧૧:૧૫ થી ૧૧:૪૫ કલાક દરમિયાન પેટ્રોલ પંપ પાછળ આવેલ બંદ પડેલ કારખાનામાં કોઈક અગમ્ય કારણોસર લોખંડના એંગલ સાથે નાયલોન દોરડું બાંધી યોગેશભાઈએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુકાવી લીધું હતું.





બનાવ અંગે શિવાજીભાઈ પુન્યાભાઈ ગામી (રહે.પનીયારી ગામ, કોલેજ ફળિયું, વ્યારા) નાઓએ પોલીસને જાણ કરતા વ્યારા પોલીસએ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.





વધુમાં જણાવી દઈકે છીએ કે,રવિવારના રોજ સાંજના સમયે જય અંબે પેટ્રોલ પંપ ઉપર એકટીવા મોપેડ ગાડી લઈને આવેલો એક અજાણ્યા શખ્સએ ૪૩ હજાર રૂપિયાના છુટ્ટા રૂપિયા આપી ૫૦૦ના દરની મોટી નોટો જોઈતી હોવાનું જણાવી પંપના કર્મી પાસેથી રૂપિયા આપ્યા વિના જ ચાલાકીથી ૪૩ હજાર રૂપિયા પડાવી ફરાર થઇ ગયો હતો,જોકે પોલીસને જાણ કરવામાં આવતા આસપાસના તેમજ હાઇવેની હોટેલો સહિતના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application