Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં “માં દેવમોગરા” સરકારી વિનયન કોલેજ ખાતે “વાલ્મિકી કૃત રામાયણની સામ્પ્રત સમયમાં ઉપયોગિતા” વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

  • October 13, 2022 

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સ્થિત ‘મા દેવમોગરા’ સરકારી વિનયન કોલેજનાં સંસ્કૃત વિભાગ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ તાપી એકમના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે આયોજિત “વાલ્મિકી કૃત રામાયણની સામ્પ્રત સમયમાં ઉપયોગિતા” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મેરુભાઈ એચ.વાઢેર અને અતિથિ વિશેષ તરીકે ડૉ.ભરતભાઈ ઠાકોર ગુજરાતી વિભાગ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાતં મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.




કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગ, “માં દેવમોગરા” સરકારી  વિનયન કોલેજ ઉચ્છલના પ્રા.ડૉ. જશુબેન એમ.પરમારે કર્યું હતું. આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ભાણિયાભાઈ ડી.ગામીતે કરી હતી. વ્યાખ્યાન કાર્યક્રમમાં કોલેજનાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરક અને સુંદર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application