Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : વાલોડ બુટવાડા રોડ ઉપર થયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન બેનાં મોત

  • June 03, 2022 

વાલોડમાં પસાર થતા વાલોડ બાજીપુરા માર્ગ પર થયેલ અકસ્માતમાં બે મોટર સાઈકલ પર સવાર મિત્રોનો એક પછી એક સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડમાં પસાર થતો વાપી શામળાજી માર્ગ પર સાંજનાં સમયે મોટરસાયકલ ચાલક મનોજભાઈ ડાહ્યાભાઈ ધોડિયા (રહે.પુણા ગામ, તા.મહુવા) તથા નવીનભાઈ ભંગિયાભાઈ ધોડિયા તથા જીતુભાઈ મોહનભાઈ ધોડિયા (બંને રહે. કલકવા ગામ, તા.ડોલવણ) કલકવાથી બાઇક નંબર જીજે/19/સી/0299 લઇ બાજીપુરા તરફ જતા હતા.




તે સમયે વાલોડ બાજીપુરા રોડ ઉપર બુટવાડા ખાતે સામેથી બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/6/બીટી/2980નાં ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્પ્લેન્ડર મોટર સાઈકલને સામેથી ટક્કર મારી અકસ્માત કરી મોટરસાયકલ ચાલકને તથા તેના સાથીઓને હવામાં ફંગોળી દીધા હતા. જેમાં મોટરસાયકલ ચાલક મનોજભાઈ ડાહ્યાભાઈ ધોડિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓનું વ્યારા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.




જોકે અન્ય મોટર સાઈકલ સવાર નવીનભાઈ ધોડિયા તથા જીતુભાઈ મોહનભાઈને શરીરે ગંભીર ઈજાઓ હોવાથી બંને મિત્રોને એક પછી એક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને  મિત્રોની હાલત ગંભીર હોય ગતરોજ સાંજે બંને મિત્રોને સુરત ખાતે સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application