Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : જમવા બાબતે પતિ-પત્નિ વચ્ચે થયેલ ઝઘડો ઉગ્ર બનતા પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નિની હત્યા કરી

  • February 02, 2023 

ઓલપાડમાં સંધિયેર ગામે રહેતા મજૂર દંપતીએ રાતે જમવા બનાવવા બાબતે થયેલી સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીને મરણતોલ માર મારતા પરિણીતાને મોતને ઘાટ ઉતારી હતી ઘટના બાદ હત્યારો પતિ ગામમાં સંતાઈ રહ્યો હતો, જ્યારે પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સુરતનાં ઓલપાડ તાલુકાનાં સાંધિયેર ગામે જદુરામનગર સોસાયટી ધનાભાઈ ગોપાલભાઈ આહીરના તબેલાના પાછળ બનાવેલા તબેલામાં રહેતા પરેશભાઈ દલપતભાઈ રાઠોડ અને તેની પત્ની પદ્માબેન છૂટક ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા.





જોકે ગતરોજ રાત્રીનાં સમયે દંપતી વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝગડો થયો હતો જે સામાન્ય ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ ઉશ્કેરાયને પત્નીને મોઢાના ભાગે શરીરે તેમજ ગળામાં ભાગે ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી હતી પત્નીની હત્યા બાદ પતિ પરેશ ગામના છુપાઈ ગયો હતો પોલીસને ઘટનાની જાણ થતા સ્થળે પહોંચી હતી પ્રથમ પતિએ પકડવા માટે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરતાં ગામમાં જ સંતાઈ બેઠેલો હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલયો હતો જોકે પત્નીની લાશનો કબ્જો મેળવી પી.એમ.અર્થે મોકલી ઓલપાડ પોલીસ મથકમાં હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application