Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં ગુણસવેલ ત્રણ રસ્તા નજીક કાર અડફેટે રાહદારીનું મોત

  • February 02, 2023 

મહુવાનાં ગુણસવેલ ત્રણ રસ્તા નજીક એક કારનાં ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં બામણિયા ગામે ઝરી ફળિયામાં રહેતા શંકર છનાભાઈ વહીયા કે જેઓ ગુણસવેલ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક કારનાં ચાલકે પુરપાટ ઝડપે અને રાહદારી શંકર વહીયાને અડફેટે લીધા હતા.





જોકે તેઓને શરીરે ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ થતા પ્રથમ એમ્બ્યુલન્સમાં ગુણસવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજાઓ જણાતા 108ની મદદથી ખારેલ હોસ્પિટલ બાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application