Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં ખોડંબા ગામે તળાવમાં નાહવા પડેલ ત્રણ લોકો પૈકી એકનું ડૂબી જતાં મોત

  • June 10, 2023 

માંડવી તાલુકાનાં ખોડંબા ગામનાં રહીશ દિલીપભાઈ કિશનભાઈ ગામીત (ઉ.વ.41) પોતાના વેરાકૂઈ ગામે સાસરામાંથી પોતાના ખોડંબાના ઘરે આવ્યા હતાં અને પોતાની બાઈક પર પોતાના મોટાભાઈ ગિરીશભાઈ (ઉ.વ.45) તથા તેમના અન્ય મિત્ર સાથે માયા તળાવમાં નાહવા માટે ગયા હતાં. ત્યારે દિલીપભાઈ તથા અન્ય મિત્ર પહેલા માયા તળાવમાં નાહવા પડ્યા હતાં. ત્યારબાદ ગિરીશભાઈ નાહવા પડ્યા હતાં. દિલીપભાઈ તથા અન્ય મિત્ર માયા તળાવમાં કિનારે પહોંચ્યા પછી પાછળ જોતા ગિરીશભાઈ દેખાયા ન હતાં. જેથી બૂમાબૂમ કરી માયા તળાવના કિનારેથી લોકો દોડી આવ્યા હતાં તથા ગિરીશભાઈ પુત્રને જાણ કરતાં તે પણ મળી આવ્યા ન હતા. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application