Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસંબા-માંગરોળ માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત

  • December 29, 2022 

માંગરોળ તાલુકાનાં વાલેસા ગામનાં આદિવાસી ફળિયામાં રહેતા નરેશભાઇ ભાણાભાઈ રાઠોડ (ઉ.વ.34) મંગળવારે રાત્રે ભરુચ જિલ્લાનાં વાલિયા તાલુકાનાં ભરણ ગામે તેના મિત્રના પિતાની બારમાની વિધિમાં મોટર સાઇકલ પર જવા માટે નીકળ્યો હતો. તે સમયે લિંબાડા ગામની સીમમાં કોસંબા–માંગરોળ માર્ગ પર અજાણ્યા વાહનને તેમની મોટર સાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થતાં નરેશભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહનો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News