Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીવંત વીજતારનાં સંપર્કમાં આવતાં બે મહિલાનું કરંટ લાગવાથી મોત

  • July 26, 2022 

બારડોલીમાં ખેતરાડી વિસ્તારમાં સીતાડોરીના ફૂલ તોડવા અને આરમ શોધવા ગયેલી બે મહિલા ખેતરમાં પડેલા જીવંત વીજતારના સંપર્કમાં આવતા બંને મહિલાનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં માતા ફળિયામાં રહેતા મંજુબેન ભિખાભાઈ રાઠોડ (ઉ.વ.58) અને લલિતાબેન ચીમનભાઈ રાઠોડ (ઉ.વ.56) જેઓ રવિવારે સવારે 11 વાગ્યે સીતાડોરીના ફૂલ તોડવા તેમજ આરમ (એક જાતનું મશરૂમ) તોડવા માટે ખેતરાડી વિસ્તારમાં ગયા હતા.




જોકે મોડી રાત સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બંને મહિલાઓ RTO ભરવાડ વસાહતની પાછળ આવેલા ભૂતમામા મંદિર નજીક શેરડીના ખેતરનાં શેઢા પર મૃત હાલતમાં મળી આવી હતી. ખેતરમાં વીજપોલ તૂટીને નીચે પડ્યા હતા. જેના જીવંત વીજતારનાં સંપર્કમાં આવતા વીજકરંટથી બંનેનાં મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ બંને મહિલાના મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. જોકે એક ફળિયાની બે મહિલાના મોત થવાથી વિસ્તારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application