Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : નિવૃત્ત એડિશનલ સેશન્સ જજનાં બંધ મકાનમાંથી સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી, પોલીસ તપાસ શરૂ

  • July 29, 2022 

બારડોલી નગરનાં શ્રી શ્રી રવિ શંકર રોડ પર આવેલ શ્રીપત વિલામાં ઘર નંબર-5માં ભાડેથી રહેતા નિવૃત્ત એડિશનલ સેશન્સ જજનું બંધ મકાન તસ્કરોએ નિશાન બનાવી બે કલાક સુધી ઘરમાં રોકાય બિંદાસ ચોરી કરીને નાસી છૂટ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.25નાં રોજ રાત્રે બારડોલીનાં શ્રી શ્રી રવિશંકર માર્ગ પર આવેલ શ્રીપતિ વિલાના ઘર નંબર-5માં ભાડે રહેતા નિવૃત જજ એન.એમ.વ્યાસ ઘર બંધ કરી પોતાના વતન હિંમત નગર ગયા હતા.




તે સમયે તેમની સોસાયટીમાં તસ્કરો બાજુની સોસાયટીની દીવાલ કૂદી પ્રવેશ્યા હતા અને જજનાં ઘરના મુખ્ય દરવાજાનાં નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રે બે થી ચાર વાગ્યા સુધી ઘરમાં રહી ઘરમાંથી પરચુરણ સામાન, સોના ચાંદીનાં કેટલાક ઘરેણાં અને ફ્રિજમાંથી ડ્રાયફ્રૂટની ચોરી કરી ગયા હતા. જોકે ત્યારબાદ બીજા દિવસે ઘરનો મુખ્ય દરવાજો પવનને લીધે ખૂલી જતાં સોસાયટીમાં રહેતી મહિલા જજ સાહેબનાં ખબર અંતર પૂછવા ગયા હતા.




ત્યારે ઘરમાં કોઈ ન હોય અને ચોરી થઈ હોવાનું જણાય આવ્યું હતું. જેથી જજને જાણ કરતાં તેઓ વતનમાંથી પરત આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં ચાર જેટલા શખ્સો ઘરમાં પ્રવેશતા અને સામાન લઈને બહાર નીકળતા દેખાઈ રહા છે. બનાવ અંગે પોલીસે CCTV ફૂટેજનાં આધારે તાપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application