સુરતનાં ઓલપાડ તાલુકાનાં અણીતા ગામે અંધશ્રદ્ધાનો વહેમ રાખી પડોશમાં રહેતી મહિલાને ચપ્પુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં અણીતા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતા પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડ (ઉ.વ 32 )નાઓ મંગળવારે ઘરના છાપરા પર પશુ-પક્ષી માટે ઘઉંના દાણા નાખતો હતો.
જયારે આ સમયે દાણા છાપરા પર નાખતા પડોશમાં રહેતા રેવાબેન સુકાભાઈ રાઠોડ (ઉ.વ.45)એ જોતા તેમને જણાવેલ કે “તું કાયમ ભુવા ભગત પાસે દાણાઓ મંત્રાવી મારા ઘરના છાપરા પર કેમ નાંખે છે” તેમ કહેતા બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ રેવાબેનને ગામ વચ્ચેથી પસાર થતા રાજ્યધોરી માર્ગ પરથી પસાર થતા હતા. તે સમયે પંકજ રાઠોડે જોઈ જોતા પોતાના હાથમાં તિક્ષણ ધારવાળું ચપ્પુ લઈને રેવાબેનને આખા શરીર પર મોઢા, ગળા અને છાતીનાં ભાગે ચપ્પુનાં ઉપરા છાપરી ઘા ઝીંકી મારમારી મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
જયારે વચ્ચે બચાવમાં પડનાર લક્ષ્મીબેનને પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે કીમ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આરોપી પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો અને મૃતકના પીએમ સહિત મૃતકના પતિ સુકા મેલજીભાઈ રાઠોડની ફરિયાદ લઈ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application