Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : બે બાળકોની માતાએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી

  • September 26, 2022 

પલસાણાનાં દસ્તાન ગામે શ્રીવિનાયક રેસીડેન્સી રહેતી બે બાળકોની માતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે દુપટ્ટો બાંધી પંખા સાથે લટકી ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ પલસાણા તાલુકાનાં દસ્તાન ગામે આવેલી શ્રી વિનાયક રેસીડેન્સીનાં ફ્લેટ નંબર-304માં સુનિલભાઈ પ્રહલાદભાઈ સોનીએ સપનાબેન સાથે 12 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓને બે સંતાન પણ છે.




જોકે સુનિલભાઈ રીક્ષા ચલાવે છે જ્યારે સપનાબેન દસ્તાન ગામે જ ઘર નજીક જ કરિયાણાની દુકાન ચલાવે છે જયારે રવિવારનાં રોજ સવારે સપનાબેન રાબેતા મુજબ પોતાની દુકાનમાં બેઠા હતા તેઓ સવારે પોતાનો પતિ સુનિલભાઈ રીક્ષા ચલાવવા બહાર ગયા ત્યારે સપનાબેને પાડોશી એવા રવિભાઈને દુકાને બેસાડી હમણાં આવું છું કહીને ગયા બાદ ઘણા સમય સુધી તેઓ પરત નહી આવતા તેમના ઘરે જઈને દરવાજો ખખડાવ્યો હતો.




પરંતુ કોઈ જવાબ નહી મળતા રવિભાઈએ સપનાબેનનાં પતિ સુનિલભાઈને જાણ કરતા તેઓ ઘરે આવી દરવાજો તોડી ઘરમાં પ્રવેશતા સપનાબેન બેડરૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે પલસાણા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application